5 Feb 2014
બદલીમાં ભ્રષ્ટાચાર
પેન્દ્રસિંહની ઓફિસમાંથી સીધો દોરીસંચાર : બદલીના ૧૦થી ૧૫ લાખનો બોલાતો ભાવ : ૪૦થી વધુ બદલીઓમાં ખાયકી રાજ્યનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે. શિક્ષણમંત્રીની ઓફિસમાંથી જ ભ્રષ્ટાચારનો સીધો દોરીસંચાર ચાલી રહ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની ખાસ કિસ્સાની બદલીઓમાં મોટાપાયે ખાયકી થઈ રહી છે. છેલ્લા દસ મહિના દરમિયાનમાં જ થયેલી બદલીઓના ઓર્ડરમાં મોટાપાયે ખાયકી થઈ હોવાની બુ આવી રહી છે. મેડિકલના ખાસ કિસ્સામાં જે બદલીઓના હુકમો કરાયા છે તેમાં મોટો આર્થિક લાભ શિક્ષણમંત્રીથી લઈ તેમના વચેટિયાઓ ખાટી ગયા છે. દસ મહિના દરમિયાનમાં આ પ્રકારની ૪૦થી વધુ બદલીઓ થઈ છે. જેમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે.
Subscribe to:
Posts (Atom)