5 Feb 2014

બદલીમાં ભ્રષ્ટાચાર

પ્રાથમિક શિક્ષકોની બદલીમાં શિક્ષણમંત્રી કક્ષાથી ભ્રષ્ટાચાર

પેન્દ્રસિંહની ઓફિસમાંથી સીધો દોરીસંચાર : બદલીના ૧૦થી ૧૫ લાખનો બોલાતો ભાવ : ૪૦થી વધુ બદલીઓમાં ખાયકી રાજ્યનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે. શિક્ષણમંત્રીની ઓફિસમાંથી જ ભ્રષ્ટાચારનો સીધો દોરીસંચાર ચાલી રહ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની ખાસ કિસ્સાની બદલીઓમાં મોટાપાયે ખાયકી થઈ રહી છે. છેલ્લા દસ મહિના દરમિયાનમાં જ થયેલી બદલીઓના ઓર્ડરમાં મોટાપાયે ખાયકી થઈ હોવાની બુ આવી રહી છે. મેડિકલના ખાસ કિસ્સામાં જે બદલીઓના હુકમો કરાયા છે તેમાં મોટો આર્થિક લાભ શિક્ષણમંત્રીથી લઈ તેમના વચેટિયાઓ ખાટી ગયા છે. દસ મહિના દરમિયાનમાં આ પ્રકારની ૪૦થી વધુ બદલીઓ થઈ છે. જેમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે.
મેડિકલના ખાસ કિસ્સામાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીમાં થતાં ભ્રષ્ટાચારમાં પ્રાપ્ત વિગત મુજબ ખાનગી હોસ્પિટલના મેડિકલ ર્સિટફિકટો રજુ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને હૃદયરોગ, હૃદયના વાલ્વની બિમારી ઉપરાંત કિડની આ ત્રણ બિમારીઓના કારણ પર શિક્ષકોની બદલીઓની રીતસરની હાટડી શિક્ષણમંત્રીના વિભાગમાં ચાલી રહી છે. બિમારીના બિલકુલ ખોટા ર્સિટફિકેટ રજુ કરી માદરે વતનમાં શિક્ષકો પોતાની બદલીઓ મોં બોલી કિંમત ચુકવીને કરાવી લે છે. જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમાં બિમારીની સારવાર મળી રહે તે વિસ્તારના